

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં સસ્તા અનાજના લાભાર્થીઓ માટે KYC કરાવવાનો નિયમ અમલમાં મુકવામાં આવ્યો તેમાં ચોંકાવનારી વાત સામે આવી છે.
પાટણના હારીજ તાલુકામાં KYC પછી જમીનદાર, લખપતિ સહિત 12000 લોકોના નામ સામે આવ્યા છે જે સસ્તુ અનાજ ખરીદવા માટે પાત્રતા ધરાવતા નથી.
આવા 12000 લોકોને પુરવઠા વિભાગે નોટીસ ફટકારી છે અને 7 દિવસમાં તેમની પાસે જવાબ માંગવામાં આવ્યો છે. આધાર કાર્ડ પા કાર્ડ લિંક થવાને કારણે ખબરી પડી કે 12000માંથી 11500 તો જમીનદાર છે, 25 વાખથી વધારે આવક ધરાવતા 3 ગ્રાહકો છે, 6 લાખથી વધુ આવક ધકાવતા 127 લોકો, MCA ડિરેક્ટર હોય તેવા 25 અને બાકીના પાત્રતા નહીં ધરાવતા લોકો છે.
