

જો તમારું પણ એકાઉન્ટ ICICI બેંકમાં છે, તો તમારા માટે એક મોટા સમાચાર છે. બેંકે તેના બચત ખાતાઓ માટે લઘુત્તમ સરેરાશ રકમમાં વધારો કર્યો છે. બચત ખાતામાં રાખવાની લઘુત્તમ રકમમાં 5 ગણો વધારો કરવામાં આવ્યો છે. મહાનગરોથી લઈને ગામડાઓ સુધીના ગ્રાહકો માટે લઘુત્તમ બેલેન્સમાં વધારો કરવામાં આવ્યો છે.
પ્રાઈવેટ સેક્ટર લેંડર ICICI બેંકના બચત ખાતામાં ₹50,000 નું લઘુત્તમ બેલેન્સ રાખવું પડશે. આ નિયમ 1 ઓગસ્ટ 2025 થી માનવામાં આવશે. પહેલા આ રકમ 10 હજાર રૂપિયા હતી. જો તમે તમારા બચત ખાતામાં લઘુત્તમ બેલેન્સ નહીં રાખો, તો તમારે દંડ ભરવો પડી શકે છે.

ક્યાં કેટલું જરૂરી હશે મિનિમમ બેલેન્સ રાખવું?
મેટ્રો અને શહેરી વિસ્તારોમાં ઓછામાં ઓછું ₹50,000, અર્ધ-શહેરી વિસ્તારોમાં ₹25,000 અને ગ્રામીણ વિસ્તારોમાં બચત ખાતામાં ઓછામાં ઓછું ₹10,000 રાખવું પડશે. અગાઉ, મેટ્રો અને શહેરી વિસ્તારોમાં બચત ખાતામાં સરેરાશ ઓછામાં ઓછું 10,000 રૂપિયા રાખવાની જરૂર હતી. આ નિર્ણય સાથે,હવે સ્થાનિક બેંકોમાં સૌથી વધુ મિનિમમ એકાઉન્ટ બેલેન્સ (MAB) ICICI બેંક પાસે છે.
અન્ય બેંકોના બચત ખાતામાં લઘુત્તમ બેલેન્સ કેટલું છે?
હવે આ નિર્ણય પછી, ICICI બેંકના બચત ખાતામાં મહત્તમ લઘુત્તમ બેલેન્સ મર્યાદા 50,000 રૂપિયા થઈ ગઈ છે. તો જાહેર ક્ષેત્રની બેંક SBI એ વર્ષ 2020 માં જ લઘુત્તમ બેલેન્સ મર્યાદા દૂર કરી દીધી હતી, એટલે કે, આ નિયમ નાબૂદ કરવામાં આવ્યો હતો. બીજી તરફ, અન્ય બેંકોએ ઓપરેશન કોસ્ટને મેનેજ કરવા માટે બચત ખાતામાં મિનિમમ બેલેન્સ મર્યાદા 2000 રૂપિયાથી 10,000 રૂપિયા રાખી છે.

HDFC બેંકમાં કેટલી છે આ લિમિટ
દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંકની વાત કરીએ તો, મેટ્રો અને શહેરી વિસ્તારોની શાખાઓના બચત ખાતામાં ઓછામાં ઓછા 10,000 રૂપિયા, અર્ધ-શહેરી વિસ્તારોની બેંકોમાં 5000 રૂપિયા અને ગામડાઓમાં શાખાઓ માટે 2500 રૂપિયા રાખવા ફરજિયાત છે.
મિનિમ બેલેન્સ જાળવવામાં ન આવે તો શું થશે?
બેંકો તેમના દૈનિક ખર્ચ અને રોકાણોને પહોંચી વળવા માટે લઘુત્તમ બેલેન્સની આવશ્યકતા લાદે છે અને જો કોઈ ગ્રાહક લઘુત્તમ બેલેન્સ જાળવી રાખતો નથી, તો તેના પર દંડ લાદવામાં આવે છે. બેંકે તેના ગ્રાહકોને તેમના ખાતા તપાસવા અને પાલન સુનિશ્ચિત કરવા કહ્યું છે.
વ્યાજમાં પણ ઘટાડો કરી ચૂકી છે બેંક
એપ્રિલમાં, ICICI બેંકે તેના બચત ખાતા પરના વ્યાજ દરમાં 0.25% ઘટાડો કર્યો હતો. HDFC બેંક અને એક્સિસ બેંકે પણ વ્યાજ દરમાં ઘટાડો કર્યા પછી તરત જ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ICICI બેંકના બચત ખાતા પર 2.75% વ્યાજ મળશે. 50 લાખ રૂપિયાથી વધુના બેલેન્સ પરના વ્યાજ દરમાં પણ 0.25% ઘટાડો કરવામાં આવ્યો છે, જે તેને 3.25% સુધી ઘટાડી દેવામાં આવ્યો છે. આ ફેરફાર 16 એપ્રિલથી લાગુ થશે.

