fbpx

મરાઠા અનામત BJP માટે બેધારી તલવાર જેવું છે! જરાંગેની માંગ સ્વીકારી તો છે, શું OBC ગુસ્સે થશે?

Spread the love
મરાઠા અનામત BJP માટે બેધારી તલવાર જેવું છે! જરાંગેની માંગ સ્વીકારી તો છે, શું OBC ગુસ્સે થશે?

સરકારે મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માંગ સ્વીકારી લીધી છે, જેના પછી મનોજ જરાંગેએ તેમના ઉપવાસ સમાપ્ત કર્યા છે. સરકારે મરાઠાવાડા અને પશ્ચિમ મહારાષ્ટ્ર ક્ષેત્રના મરાઠાઓને કુણબી જાતિ હેઠળ OBC અનામત આપવા માટે ‘હૈદરાબાદ ગેઝેટ’ બહાર પાડવાનો નિર્ણય લીધો છે. આ રીતે, મરાઠાવાડામાં મરાઠા અનામતના વિવાદને શાંત કરવા માટે એક પગલું લેવામાં આવ્યું હતું, પરંતુ શું આ ફડણવીસ સરકાર માટે બેધારી તલવાર જેવું તો નથી ને?

મનોજ જરાંગે મરાઠા સમુદાયને કુણબી જાતિમાં સમાવીને OBC હેઠળ અનામતનો લાભ આપવાની માંગ કરી રહ્યા છે, જેને ફડણવીસ સરકારે સ્વીકારી લીધી છે. શું BJPએ જરાંગેની માંગ સ્વીકારીને સામે ચાલીને OBC સમુદાયની નારાજગી તો નથી લઇ લીધીને, કારણ કે છગન ભુજબળ અને OBC નેતાઓએ પહેલાથી જ સરકારને ચેતવણી આપી હતી કે, મરાઠા સમુદાયને OBC ક્વોટામાં સામેલ ન કરવો જોઈએ.

રાષ્ટ્રીય OBC મહાસંઘે એમ પણ કહ્યું છે કે, જો OBC અનામતને નુકસાન થશે, તો સમગ્ર OBC સમુદાય રસ્તા પર ઉતરી આવશે. OBC નથી ઇચ્છતા કે, તેમના ક્વોટામાંથી મરાઠાઓને અનામત મળે. હવે જ્યારે ફડણવીસ સરકારે મનોજ જરાંગેનો મુદ્દો સ્વીકાર્યો અને મરાઠાઓને OBC અનામત આપવાનું પગલું ભર્યું, તો ભલે મરાઠાવાડા અને પશ્ચિમ મહારાષ્ટ્રના મરાઠા સમુદાયને તેનો લાભ મળશે, પરંતુ તેમને OBC ક્વોટામાંથી અનામત મળશે.

સરકારે ‘હૈદરાબાદ ગેઝેટ’ લાગુ કરવા સંમતિ આપી છે, જેનાથી મરાઠાઓને સીધો કુણબી દરજ્જો મળશે. મરાઠાવાડા ક્ષેત્રના મરાઠાઓને કુણબી પ્રમાણપત્ર મળશે. આનાથી તેઓ OBC હેઠળ અનામત મેળવવાના હકદાર બનશે. હૈદરાબાદની જેમ, સતારા (હાલના પશ્ચિમ મહારાષ્ટ્રમાં) પણ એક રજવાડું હતું. ભૂતપૂર્વ અમલદાર અને લેખક વિશ્વાસ પાટીલે જણાવ્યું હતું કે, સતારા ગેઝેટમાં મરાઠાઓને કુણબી-મરાઠા તરીકે વર્ણવવામાં આવ્યા છે. સતારા ગેઝેટમાં પશ્ચિમ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં મરાઠાઓ સંબંધિત રેકોર્ડ છે. આ ઉપરાંત, ઔંધ અને બોમ્બે ગેઝેટ પણ છે, જેના અમલીકરણની માંગ જરંગે દ્વારા કરવામાં આવી હતી, જેના માટે સરકારે 15 દિવસનો સમય માંગ્યો છે.

Jarange-Patil,-CM-Fadnavis3

વિદર્ભ, ઉત્તર મહારાષ્ટ્ર અને કોંકણમાં મરાઠા સમુદાયે OBC ક્વોટા મેળવવા માટે કુણબી જાતિમાં પોતાને પહેલાથી જ સમાવી લીધા છે. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પંજાબ રાવ દેશમુખે 1954માં જ વિદર્ભના મરાઠા સમુદાય માટે કુણબી જાતિ પ્રમાણપત્ર મેળવ્યું હતું અને કોંકણ ક્ષેત્રમાં પણ એક મોટો મરાઠા વર્ગ છે, જે કુણબી જાતિનો છે.

જ્યારે, પશ્ચિમ મહારાષ્ટ્ર અને મરાઠાવાડામાં ઘણા મરાઠાઓએ યોદ્ધા વર્ગ અને ઉચ્ચ જાતિ તરીકેની પોતાની ઓળખ જાળવી રાખવાનું પસંદ કર્યું હતું. આ કારણે, સ્વતંત્રતા પછી મરાઠાવાડા અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય ઉચ્ચ જાતિ હેઠળ આવ્યો. જોકે, મનોજ જરાંગે પાટિલની માંગણી સ્વીકાર્યા પછી, સમગ્ર મરાઠાવાડા અને પશ્ચિમ મહારાષ્ટ્રના મરાઠાઓને પણ ‘હૈદરાબાદ ગેઝેટ’ મુજબ કુણબી ગણવામાં આવશે અને તેમને OBC ક્વોટા હેઠળ અનામત આપવામાં આવશે. આ રીતે, મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયનો એક મોટો વર્ગ OBCના દાયરામાં આવી શકે છે.

સરકારે જરાંગેનો મુદ્દો સ્વીકાર્યો છે, પરંતુ પ્રશ્ન એ છે કે મરાઠા સમુદાય OBC અનામતનો લાભ કેવી રીતે લેશે. સરકારે સ્પષ્ટતા કરી છે કે, પ્રમાણપત્ર મેળવવા માટે, અરજદારોએ સાબિત કરવું પડશે કે તેમના પરિવાર અથવા પૂર્વજો પાસે 21 નવેમ્બર 1961 પહેલા ખેતીની જમીન હતી. આ માટે, જૂના મહેસૂલ રેકોર્ડ, જમીન રજિસ્ટર અથવા અન્ય સરકારી દસ્તાવેજો સબમિટ કરવા પડશે. આ દસ્તાવેજોની ગ્રામ્ય સ્તરની સમિતિ દ્વારા તપાસ કરવામાં આવશે અને પાત્રતા નક્કી કરવામાં આવશે.

જો મરાઠા સમુદાયના કોઈ વ્યક્તિને કુણબી જાતિ પ્રમાણપત્ર જોઈતું હોય, તો તેણે વ્યક્તિગત સ્તરે તેના માટે અરજી કરવી પડશે. આ પછી, તેણે ‘હૈદરાબાદ ગેઝેટ’ મુજબ પુરાવા પણ આપવા પડશે. સરકારી આદેશમાં જણાવાયું છે કે, દરેક ગામમાં ગ્રામ સેવક, તલાટી અને સહાયક કૃષિ અધિકારીની એક સમિતિ બનાવવામાં આવશે. આ સમિતિ અરજદારોના દસ્તાવેજો તપાસશે અને યોગ્યતા ધરાવતા મરાઠાઓનો અહેવાલ સંબંધિત સત્તાવાળાઓને સુપરત કરશે. સમિતિનું કાર્ય સમયસર અને પારદર્શક રીતે કરવાનું રહેશે, જેથી લાયક મરાઠાઓ કુણબી પ્રમાણપત્રો મેળવી શકે. આ પ્રક્રિયા પછી, મરાઠા સમુદાય OBCનો લાભ મેળવી શકશે.

Jarange-Patil1

મહારાષ્ટ્ર સરકારે જુલાઈ 2023માં કુણબી જાતિ હેઠળ મરાઠા સમુદાયને અનામત આપવાનો માર્ગ શોધી કાઢ્યો હતો. ભૂતપૂર્વ ન્યાયાધીશ સંદીપ શિંદેની અધ્યક્ષતામાં શિંદે સરકારે રચેલી સમિતિએ મોટી સંખ્યામાં લોકોને કુણબી પ્રમાણપત્રોનું વિતરણ પણ કર્યું છે. આ પછી, OBC સમુદાય ગુસ્સે થયો અને રસ્તા પર ઉતરી આવ્યો હતો, જેના પછી સરકારે તેને રોકવું પડ્યું. આના કારણે, OBC અને મરાઠા એકબીજાના વિરોધી બની ગયા છે.

મહારાષ્ટ્રના દરેક ગામમાં OBC અને મરાઠા વચ્ચે ઊંડી ખાઈ ઉભી થઇ ગઈ છે. મરાઠા સમુદાય અને OBC સમુદાયે એકબીજાની દુકાનોમાંથી સામાન ખરીદવાનું પણ બંધ કરી દીધું હતું. મરાઠા વિરુદ્ધ અન્ય પછાત વર્ગો (OBC)ની તલવાર ખેંચાઈ ગઈ હતી. તેની અસર ગ્રામીણ વિસ્તારોના સામાજિક માળખા પર જોવા મળી હતી. મનોજ જરાંગેએ આ વખતે પણ મરાઠા અનામતની માંગણી સાથે ભૂખ હડતાળ કરી ત્યારે OBC સમુદાય બેચેન થઈ ગયો.

રાજ્યના OBC નેતા છગન ભુજબળે સોમવારે કડક સ્વરમાં કહ્યું હતું કે, મરાઠાઓને OBC ક્વોટામાં સામેલ ન કરવા જોઈએ. જો OBC સમુદાય માટે નક્કી કરાયેલ અનામતમાં કપાત કરવામાં આવશે, તો લાખો લોકો વિરોધ કરશે. રાષ્ટ્રીય OBC મહાસંઘના પ્રમુખ બબનરાવ તાયવડેએ પણ ધમકી આપી હતી કે, જો OBC અનામતને નુકસાન થશે, તો સમગ્ર OBC સમુદાય રસ્તા પર ઉતરશે.

હવે, OBC અને મરાઠા વચ્ચે રાજકીય સંતુલન જાળવવા માટે, ફડણવીસ સરકારે ફક્ત તે મરાઠાઓને કુણબી જાતિ પ્રમાણપત્ર આપવાનો નિર્ણય લીધો છે, જેમના પૂર્વજો ખેડૂત હતા અને ‘હૈદરાબાદ ગેઝેટ’માં તેમનો ઉલ્લેખ હતો. જોકે, શું OBC સરકાર સાથે સંમત થશે?

Jarange-Patil,-CM-Fadnavis4

છગન ભુજબળે કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં OBC માટે 27 ટકા અનામતમાં, પ્રથમ 6 ટકા વિચરતી જાતિઓ માટે, બે ટકા ગોવારી માટે અને અન્ય નાના ભાગો વિવિધ જૂથો માટે અનામત છે. આ રીતે, OBCને 17 ટકા અનામત મળી રહી છે, જેમાં 374 સમુદાયોના લોકોનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં, જો તેમાં વધુ જાતિઓ ઉમેરવામાં આવે તો તે સંપૂર્ણ અન્યાય હશે.

જો સરકારે મરાઠા સમુદાયને OBC દરજ્જો આપવાની માંગ સ્વીકારી લીધી છે, તો તેઓ ફક્ત OBC ક્વોટામાંથી જ અનામત મેળવી શકશે. OBC સમુદાય કોઈપણ સંજોગોમાં મરાઠાઓને અનામત આપવાના પક્ષમાં નથી. આ રીતે, તે મરાઠા વિરુદ્ધ OBCની લડાઈ બની ગઈ છે. આ BJP માટે રાજકીય તણાવ બની શકે છે.

રાજ્યમાં લગભગ 42 ટકા OBC મતદારો છે, જ્યારે મરાઠા સમુદાયની વસ્તી લગભગ 33 ટકા છે. BJPએ OBC મતોની મદદથી મહારાષ્ટ્રમાં પોતાનું રાજકીય મેદાન તૈયાર કર્યું છે. હવે મરાઠા સમુદાયને અનામત આપવાને કારણે તેમનો રોષ વધી શકે છે. એવું માનવામાં આવે છે કે, મોટી OBC જાતિઓ નાની OBC જાતિઓના અધિકારો છીનવી લે છે. આ નાની જાતિઓ અથવા ઓછી વસ્તી ધરાવતી જાતિઓ OBC અનામત અને તેમની યોજનાઓનો લાભ મેળવી શકતી નથી.

મરાઠા સમુદાય પહેલાથી જ OBC જાતિઓ કરતાં સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે વધુ સક્ષમ છે. આવી સ્થિતિમાં, જો કુણબી જાતિ હેઠળ અનામત મેળવવાનો માર્ગ સાફ થાય છે, તો OBC ખતરો અનુભવી રહ્યો છે. રાષ્ટ્રીય OBC મહાસંઘના પ્રમુખ બબનરાવ તાયવાડે કહે છે કે, OBC વસ્તી વધુ છે અને અનામત ઓછી છે, તે ઉપરાંત સરકારે મરાઠા સમુદાયને કુણબી જાતિનો દરજ્જો આપીને OBC સાથે અન્યાય કર્યો છે.

Jarange-Patil,-CM-Fadnavis2

મહારાષ્ટ્રના વરિષ્ઠ પત્રકાર નીતિન ભાંગે કહે છે કે, BJPને રાજ્યમાં OBC જૂથોનો ટેકો મળી રહ્યો છે, જેમાં તેલી, બંજારા, પવાર, ભોયર, કોમટી, ​​સોનાર, ગોંડ અને બે ડઝન અન્ય જાતિઓનો સમાવેશ થાય છે. અગાઉ 1980માં પણ BJPએ ‘માધવ’ ફોર્મ્યુલા અપનાવી હતી, જેનો ઉપયોગ માલી, ધનગર અને વણઝારી માટે થતો હતો. આનાથી પાર્ટીને મહારાષ્ટ્રમાં પોતાનો જાતિ આધાર બનાવવામાં મદદ મળી, જે બ્રાહ્મણ-બનિયા સમુદાયો અને મરાઠા સમુદાયના પક્ષથી અલગ હતો.

BJP આ મતોની મદદથી રાજકારણ કરતો રહ્યો, પરંતુ 2014 પછી, BJPએ પોતાનું રાજકારણ બદલ્યું. BJPનું ધ્યાન મરાઠા સમુદાય તરફ રહ્યું છે, આને ધ્યાનમાં રાખીને, તેણે મરાઠા સમુદાયને અનામત આપવાનો માર્ગ શોધી કાઢ્યો, પરંતુ આનાથી BJPના રાજકીય સમીકરણને ખલેલ પહોંચી શકે છે. OBCની નારાજગી BJP સામે થઇ શકે છે. આવી સ્થિતિમાં, હવે જોવાનું રહેશે કે BJP કેવી રીતે રાજકીય સંતુલન બનાવે છે?

error: Content is protected !!