
ઉત્તર પ્રદેશના ઝાંસીમાંથી એક લાગણીસભર ઘટના સામે આવી છે, જેણે બધાના દિલને ભાવુક કરી દીધા. એક પતિ-પત્ની, જે જીવનભર સાથે હતા, મૃત્યુમાં પણ એકસાથે રહ્યા. પહેલા પત્નીનું મૃત્યુ થયું, અને પછી, લગભગ 12 કલાક પછી, પતિએ પણ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો. તેમના મૃત્યુ પછી, તેમની અંતિમયાત્રા એકસાથે નીકાળવામાં આવી અને સાથે જ અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા. આ ક્ષણે પરિવાર અને સ્થાનિક રહેવાસીઓ બંનેની આંખો આંસુથી છલકાઈ ઉઠી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે વેદ પુરાણો મુજબ, પતિ-પત્નીનું એક સાથે પાંચ તત્વોમાં વિલિન થવું એ લાખોમાંથી ફક્ત કોઈ એકના જ નસીબમાં આવું થતું હોય છે.
આ ઘટના ઝાંસી જિલ્લાના ગરૌથા પોલીસ સ્ટેશન હેઠળના ઇન્દ્રનગરમાં બની હતી. 76 વર્ષીય રામરતન ગુપ્તા, એક મોટા વેપારી હતા, તેમની પત્ની, રામદેવી ગુપ્તા સાથે રહેતા હતા, જે લગભગ 70 વર્ષના હતા. તેમને ત્રણ બાળકો છે: અરવિંદ ગુપ્તા, ધમેન્દ્ર ગુપ્તા અને ઉપેન્દ્ર ગુપ્તા. રતન ગુપ્તા મૂળ હમીરપુર જિલ્લાના પરાસણ ગામના હતા, પરંતુ લગ્ન પછી તેઓ ગરૌથા રહેવા આવી ગયા હતા. રામ રતન અને રામ દેવીએ તેમના લગ્ન જીવનના 50 વર્ષ ઘણા હસી ખુશીથી વિતાવ્યા હતા.
પરિવાર અને સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, રામ દેવીનું બીમારીને કારણે શનિવારે સવારે અચાનક અવસાન થયું. આ વાતની જાણ થતાં જ સાગા સંબંધીઓ અને મિત્રો આવવા લાગ્યા હતા. તેમની પત્નીના મૃતદેહને જોઈને, રામ રતન તે સહન કરી શક્યા નહીં. રામ દેવીના અંતિમ સંસ્કાર થાય તે પહેલાં, તેમના પતિ રામ રતનનું પણ તે રાત્રે જ અવસાન થયું. તેમના મૃત્યુ પછી, તેમના મૃતદેહને એકસાથે અંતિમયાત્રા માટે બહાર કાઢવામાં આવ્યા હતા અને વિધિ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જ્યારે તેમની અંતિમયાત્રા એકસાથે નીકાળવામાં આવી ત્યારે, આખું ગામ ભાવુક થઇ ગયું હતું. આ દ્રશ્યે આખા વિસ્તારને લાગણીસભર બનાવી દીધો હતો, અને લોકો તેને સાચા પ્રેમનું પ્રતીક કહી રહ્યા છે. લોકો કહે છે કે રામ રતન અને રામ દેવી ગુપ્તાએ ખરેખર લગ્નના સાત વચનોને પૂર્ણ કર્યા અને જીવનભર એકબીજાને સાથ આપ્યો. તેમનું જીવન પ્રેમ, સમર્પણ અને સમાજ સેવાનું પ્રતીક હતું.

સ્થાનિક રહેવાસી બલ્લાન ગુપ્તાએ જણાવ્યું હતું કે, ગરૌથા શહેરના રહેવાસી મૃતક રામરતન ગુપ્તા ભગવાન શિવના ભક્ત હતા. તેમની પત્ની શ્રીમતી રામદેવીનું શનિવારે સવારે 9 વાગ્યે અવસાન થયું હતું અને તેમના પતિ રામરતનનું પણ રાત્રે 9 વાગ્યે અવસાન થયું હતું. તેથી, પતિ-પત્ની બંનેના અંતિમ સંસ્કાર એકસાથે કરવામાં આવ્યા હતા.
