
સુરત. શિક્ષણ દ્વારા સમાજની ઉન્નતિનો સંદેશ આપતા સુરતના યુવા ઉદ્યોગપતિ પિયુષ ભૂરા દેસાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસ નિમિત્તે તેઓની માતા હિરાબાના નામથી “હિરાબા નો ખમકાર” શિર્ષક હેઠળ અનોખું અભિયાન શરૂ કર્યું છે. આ પહેલ હેઠળ પિયુષભાઈએ 21,000 આર્થિક રીતે નબળી દીકરીઓને રૂ. 7,500ની સહાય આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. સહાયરૂપ રકમથી દીકરીઓને શાળા ફીમા શૈક્ષણિક સહાય મળશે.
પિયુષ દેસાઈએ જણાવ્યું હતું કે દીકરીને શિક્ષિત કરવીએ સમગ્ર સમાજની પ્રગતિનું પ્રથમ પગથિયું છે. દીકરી મજબૂત બનશે તો કુટુંબ અને રાષ્ટ્ર મજબૂત બનશે. આ અભિયાનનો શુભારંભ સી.આર. પાટીલના હસ્તે કરવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ તબક્કામાં 251 દીકરીઓને સહાય અપાઈ હતી. હવે આવનારા ધનતેરસના શુભ અવસર પર વધુ 151 દીકરીઓને સહાય આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે મૂળ બનાસકાંઠા જિલ્લાના નાણોટા ગામના વતની પિયુષભાઈનો જન્મ 21 એપ્રિલ, 1993ના રોજ થયો હતો. હાલમાં તેઓ સુરત શહેરમાં ટેક્સટાઇલ, જમીન વેચાણ, બિલ્ડિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રે સફળતાપૂર્વક કાર્યરત છે. સમાજસેવાની ભાવના સાથે શરૂ કરાયેલ “હિરાબા નો ખમકાર” અભિયાન ઉદ્યોગપતિઓ અને યુવાનો માટે પ્રેરણારૂપ છે, જે દર્શાવે છે કે સાચી સફળતા એ ત્યારે જ મળે છે જ્યારે એને સમાજ સાથે વહેંચવામાં આવે.

