fbpx

પાકિસ્તાનના સિંધમાં હિન્દુ વસ્તી કેટલી? પાકિસ્તાનની જનસંખ્યામાં આ સિંધપ્રાંતની શું ભૂમિકા?

Spread the love

પાકિસ્તાનના સિંધમાં હિન્દુ વસ્તી કેટલી? પાકિસ્તાનની જનસંખ્યામાં આ સિંધપ્રાંતની શું ભૂમિકા?

હાલના દિવસોમાં, ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના નિવેદનની ચર્ચા ચારેય બાજુ થઈ રહી છે. જેમાં તેમણે પાકિસ્તાનના સિંધ પ્રાંત અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે, સરહદો બદલાઈ શકે છે અને સિંધ એક દિવસ ભારતનો ભાગ બની શકે છે. આ નિવેદનથી ભારતથી પાકિસ્તાન સુધી હંગામો મચી ગયો છે. તો ચાલો આપણે સમજી લઈએ કે જે સિંધ પ્રાંતની વાતનો રાજનાથ સિંહે ઉલ્લેખ કર્યો છે કે, ત્યાં હિન્દુની વસ્તી કેટલી છે, વસ્તીની દ્રષ્ટિએ આ પ્રાંત પાકિસ્તાન માટે કેટલો મહત્વપૂર્ણ છે, અને જો સિંધ વિસ્તાર ભારતમાં ભળી ગયો તો ભારતની વસ્તીનું શું થશે?

Hindu-in-Pakistan2

એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, સિંધની કુલ વસ્તી આશરે 55.70 મિલિયન છે. જેમાં બતાવવામાં આવ્યું છે કે, 2023ની વસ્તી ગણતરી મુજબ, ત્યાં આશરે 4.9 મિલિયન હિન્દુઓ રહે છે, જે સિંધની કુલ વસ્તીના આશરે 8.8 ટકા છે. આ આંકડામાં ‘SC’ (અનુસૂચિત જાતિ) હિન્દુઓનો પણ સમાવેશ થાય છે. આનો અર્થ એ છે કે, સિંધ પાકિસ્તાનનો એવો વિસ્તાર છે કે જ્યાં હિન્દુની વસ્તી સૌથી વધુ ટકાવારી ધરાવે છે.

પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સના ડિજિટલ વસ્તી ગણતરી અહેવાલ મુજબ, સિંધની વસ્તી આશરે 55.69 મિલિયન છે. પાકિસ્તાનની કુલ વસ્તી 2023ની વસ્તી ગણતરીના સમાન ડેટા અનુસાર, પાકિસ્તાનની કુલ વસ્તી આશરે 241.49 મિલિયન છે. જો આપણે સિંધની વસ્તી (55.69 મિલિયન)ને પાકિસ્તાનની કુલ વસ્તી (241.49 મિલિયન) દ્વારા વિભાજીત કરીએ, તો તે લગભગ 23 ટકા થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, પાકિસ્તાનની વસ્તીના લગભગ એક ચતુર્થાંશ લોકો સિંધ પ્રાંતમાં રહે છે.

Alcohol1

હવે, તમે માની લો કે, જો સિંધની વસ્તી ભારતમાં જોડાય જાય તો ભારતની કુલ વસ્તી કેટલી વધશે, અને તેની ભારતીય વસ્તી પર શું અસર પડશે?

પાકિસ્તાનની 2023ની ડિજિટલ વસ્તી ગણતરી અનુસાર, સિંધની વસ્તી આશરે 55.69 મિલિયન (55,690,000) છે. આ આંકડો PBS (પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ)ના ‘ફર્સ્ટ એવર ડિજિટલ વસ્તી ગણતરી’ અહેવાલમાંથી છે. એવરીથિંગ એક્સપ્લેન્ડ ટુડે મુજબ, સિંધમાં હિન્દુઓની વસ્તી આશરે 4.90 મિલિયન છે, જે સિંધની કુલ વસ્તીના લગભગ 8.8 ટકા છે. બીજી બાજુ, ભારતમાં આશરે 1.46 અબજ (1,460 મિલિયન) વસ્તી છે. (આ એક અંદાજ છે; વાસ્તવિક સંખ્યા સમયાંતરે બદલાયા કરે છે). તેથી, જો સિંધની સમગ્ર વસ્તી ભારતમાં ઉમેરવામાં આવે, તો કુલ 1,460 મિલિયન+ 55.69 મિલિયન= આશરે 1,515.69 મિલિયન થશે.

Hindu-in-Pakistan

સરળ શબ્દોમાં કહીએ તો, આનો અર્થ એ છે કે, ભારતની વસ્તીમાં લગભગ આખા સિંધ પ્રાંતનો ઉમેરો થવાથી ખુબ મોટા પ્રમાણમાં વસ્તી વિષયક ફેરફાર થશે. આનો અર્થ એ થાય કે, ભારતની વસ્તીમાં, લગભગ 3.8 ટકા (લગભગ 55.7 મિલિયન)નો વધારો થશે.

Leave a Reply

error: Content is protected !!