fbpx

આ જગ્યાએ સામાન્ય જનતાને રોજ મળી રહ્યું છે 7 ગ્રામ સોનું, જાણો કેવી રીતે

Spread the love

આ જગ્યાએ સામાન્ય જનતાને રોજ મળી રહ્યું છે 7 ગ્રામ સોનું, જાણો કેવી રીતે

પાકિસ્તાનના કબજા હેઠળના ગિલગિટ-બાલ્ટિસ્તાનના ડાયમર જિલ્લામાંથી વહેતી સિંધુ નદી ન માત્ર પાણી, પરંતુ સોનું પણ આપી રહ્યું છે. પરિસ્થિતિ એવી છે કે જ્યાં લોકો પહેલા એક દિવસની મહેનત બાદ ભાગ્યે જ એક ગ્રામ સોનું કાઢી શકતા હતા, ત્યાં હવે મશીનોની મદદથી ઘણા પરિવારો દરરોજ 5-7 ગ્રામ સોનું કાઢી રહ્યા છે.

BBC ઉર્દૂના અહેવાલ મુજબ, ડાયમર અને ચિલાસ વિસ્તારમાં રહેતા કેટલાક આદિવાસીઓ પેઢીઓથી સિંધુ નદીના કિનારેથી રેતી કાઢીને સોનું કાઢી રહ્યા છે. આ તેમનો પરંપરાગત વ્યવસાય અને આજીવિકાનો એકમાત્ર સ્ત્રોત રહ્યો છે, પરંતુ છેલ્લા 2-3 વર્ષમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. હવે, નદી કિનારે સેંકડો મશીનો લગાવવામાં આવ્યા છે, જે થોડા કલાકોમાં એટલી રેતી કાઢી નાખે છે, જેટલી લોકો પહેલા આખા દિવસમાં કાઢી શકતા નહોતા.

gold-mining

BBC ઉર્દૂના અહેવાલ મુજબ, મશીનોને લગાવવાનો ખેલ મોટાભાગે એ જ લોકોના હાથમાં છે, જેમની પાસે નદી કિનારે જમીન છે અથવા બહારના રોકાણકારો દ્વારા નિયંત્રિત થાય છે. સ્થાનિક લોકો અથવા તો તેમની જમીન ભાડે આપી રહ્યા છે અથવા નફામાં ભાગ લઈ રહ્યા છે. તો, જે આદિવાસીઓ પાસે જમીન નથી કે મશીનો ખરીદવાની ક્ષમતા નથી તેઓ હવે દૈનિક વેતન મજૂર બનીને રહી ગયા છે.

સ્થાનિકોના મતે, હાથથી સોનું કાઢવાના સમયમાં એક પરિવારને દિવસમાં માંડ એક ગ્રામ સોનું મળતું હતું. હવે, મશીનોનો ઉપયોગ કરીને એક જ પરિવાર 6-7 ગ્રામ સુધી સોનું કાઢી રહ્યો છે. આ જ કારણ છે કે લોકો પર્યાવરણ અને પરંપરાના ભોગે પણ મશીનો તરફ વધુને ઝૂકી રહ્યા છે.

gold-mining2

BBC ઉર્દૂના અહેવાલ મુજબ, પર્યાવરણીય નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે મશીનોથી સોનું કાઢવાથી હવા, પાણી અને ગ્લેશિયર માટે જોખમ છે. ડીઝલ જનરેટર અને ભારે મશીનરીમાંથી નીકળતો ધુમાડો ગ્લેહસિયારોને ઝડપથી પિગાળી શકે છે. પ્રદૂષિત નદીનું પાણી માછલીઓ અને જળચર જીવનને અસર કરી રહ્યું છે. સાથે જ અવાજ અને કંપનથી સમગ્ર વિસ્તારની કુદરતી શાંતિ ખતમ થઈ રહી છે.

હાલમાં, ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં નદીમાંથી સોનું કાઢવા માટે કોઈ ચોક્કસ કાયદો નથી. તેને સામાન્ય ખનન નિયમોના ભાગ રૂપે ગણવામાં આવે છે. વહીવટીતંત્રનું કહેવું છે કે તે ગેરકાયદેસર મશીનોને કાયદેસર બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ જમીન પરની પરિસ્થિતિ સૂચવે છે કે નિયંત્રણ અત્યારે ઢીલું છે. સ્થાનિક આદિવાસીઓ સરકાર પાસેથી માંગ કરી રહ્યા છે કે તેઓ તેમને પર્યાવરણને અનુકૂળ રીતે કામ કરવાની મંજૂરી આપે, જેથી તેમની સદીઓ જૂની કળા નષ્ટ ન થાય અને ન તો પ્રકૃતિને નુકસાન થાય.

error: Content is protected !!