

કેન્દ્ર સરકારે કહ્યું કે, 2025માં સરકારે એવા 8 ફેરફારો કર્યા છે જેની લોકોની જિંદગી પર સારી અસર પડી છે.
સરકારે કહ્યું કે, મજૂર કાયદામા 29 જુના કાયદાને બદલીને 4 નવા મજૂર કોડસ લાવવામાં આવ્યા જેને કારણે કામદારોને વળતર, સુરક્ષા અને ફેમિલીને સમય પણ આપી શકે એવો નિર્ણય લીધો. GSTનું સરળીકરણ કર્યું જેને લીધે લોકોને સસ્તી વસ્તુઓ મળી. બજેટમાં આવકવેરાની મર્યાદા 12 લાખની કરી જેને લીધે લોકોની બચત થઇ.
મનરેગાનું નામ બદલીને VB G RAMJI કર્યું જેમાં કામદારોને 100 કલાકને બદલે 125 કલાકની મર્યાદા કરી જેથી મજૂરોને ફાયદો થશે. બિલ્ડીંગ પરમીટ કલીયરન્સના નિયમો હળવા કર્યા. MSME રોકાણ અને ટર્મઓવર મર્યાદ વધારવામાં આવી. વીમા ક્ષેત્રે 100 ટકા FDIને મંજૂરી આપવામાં આવી જેને લીધે પ્રીમિયમ ઘટશે. અનેક દેશો સાથે કરાર કરવામાં આવ્યા.
