
ગુજરાત કેડરના એક IPS અધિકારી સુશીલ અગ્રવાલ ચર્ચામાં છે. 2017ની બેચના આ IPS અધિકારી અત્યારે વડોદરા ગ્રામ્યના SP તરીકે ફરજ બજાવે છે. તેમણે તાજેતરમાં ભારત- ન્યુઝીલેન્ડ વચ્ચેની વન-ડેની મેચ સફળતા પૂર્વક પાર પાડી અને વુમન પ્રીમિયર લીગની મેચો પણ આયોજન કરી રહ્યા છે
પરંતુ અગ્રવાલ જ્યારે 2023માં નવસારીમા SP હતા ત્યારે તેમણે એક એવો કેસ ઉકેલો જે ક્રાઇમ ઇન્વેસ્ટીગેશનનું ઉત્તમ ઉદાહરણ બન્યો છે. નવસારી જિલ્લાના બિલીમોરામાં એક વિદેશી મહિલાના મકાનના રીનોવેશન વખતે દિવાલમાંથી 240 સોનાના સિક્કા તે પણ બ્રિટિશ કાળના મળ્યા હતા. મજૂરો સિક્કા લઇને મધ્ય પ્રદેશ ભાગી ગયા હતા. પરંતુ અગ્રવાલે આ કેસ ઉકેલીને બધા 240 સોનાના સિક્કા જપ્ત કરીને કોર્ટમાં જમા કરાવી દીધા હતા.
