fbpx

વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂમાં કોણ અડચણ બની રહ્યું છે?

Spread the love

વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂમાં કોણ અડચણ બની રહ્યું છે?

776 રન… 72 છગ્ગા… 230થી વધુનો સ્ટ્રાઇક રેટ… IPLનો સૌથી મોટો સ્ટાર… છતા, ભારતીય ટીમની જર્સી પહેરવાની રાહ.
 હવે સૌથી મોટો પ્રશ્ન ફક્ત વૈભવ સૂર્યવંશી ક્યારે ડેબ્યૂ કરશે તે નથી, પરંતુ જો ટીમ મેનેજમેન્ટ પોતે સ્વીકારે છે કે આ યુવાન ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે સંપૂર્ણપણે તૈયાર છે, તો તેને શા માટે રોકવામાં આવી રહ્યો છે?

આયર્લેન્ડ સામે 0-2થી શરમજનક શ્રેણીની હાર બાદ આ પ્રશ્ન વધુ મોટો થઇ ગયો છે. ભારતીય ટીમના સહાયક કોચ રાયન ટેન ડોશેટે સ્પષ્ટપણે કહ્યું કે, વૈભવ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમાં કોઈ શંકા નથી. પરંતુ, તેણે પણ તે જ પ્રક્રિયાનું પાલન કરવું પડશે જેમાંથી અન્ય ખેલાડીઓ પસાર થયા છે.”

તૈયાર… પરંતુ રમશે નહીં! આ કેવો તર્ક છે?

ક્રિકેટમાં, સામાન્ય રીતે આના બે જ કારણો હોય છે અથવા તો ખેલાડી તૈયાર નથી, અથવા ટીમમાં તેના માટે કોઈ સ્થાન નથી. પરંતુ અહીં, કહાની સંપૂર્ણપણે અલગ છે. ટીમ મેનેજમેન્ટ પોતે કહે છે કે વૈભવ તૈયાર છે. બીજી તરફ, ટીમ મેચ હારતી રહે છે. છતા, તેને તક મળી રહી નથી… એવામાં સ્વાભાવિક રીતે પ્રશ્ન ઊભો થાય છે કે આખરે અવરોધ ક્યાં છે?

vaibhav suryavanshi

શું તે ફક્ત ‘પ્રક્રિયા’ છે? અથવા ટીમ મેનેજમેન્ટ ફક્ત તેના પ્રારંભિક નિર્ણયથી પાછળ હટવા તૈયાર નથી? ટેન ડોશેટે સંજૂ સેમસનનો બચાવ પણ કર્યો. તેમણે કહ્યું કે સંજૂએ ત્રણ મહિના પહેલા ભારતની T20 વર્લ્ડ કપ જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને ટીમ ખેલાડીઓને સતત તક આપવા માંગે છે. આ દલીલ  સાંભળવામાં યોગ્ય લાગે છે. જોકે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ફક્ત ભૂતકાળના યોગદાનથી ટકાવી શકાતું નથી.

દરેક શ્રેણી નવા પ્રશ્નો ઉભા કરે છે. જો પ્રદર્શન સતત નીચે આવી રહ્યું હોય અને બેન્ચ પર બેઠેલા ખેલાડી દેશનો સૌથી ચર્ચિત કિશોર બેટ્સમેન હોય, તો ચર્ચા થવી અનિવાર્ય છે. જ્યારે હાર છતા ટીમ નહીં બદલાય, ત્યારે પ્રશ્નો કેપ્ટન પર નહીં, પણ માનસિકતા પર થાય છે.

ભારત આયર્લેન્ડ સામે શ્રેણી હારી ગયું. બીજી મેચ માત્ર એક રનથી ગુમાવી દીધી. આવી મેચો પછી ટીમો ઘણીવાર પ્રયોગ કરે છે. છતા, ભારતે વૈભવને બહાર રાખ્યો. એટલે કે સંદેશ સ્પષ્ટ હતો કે, વર્તમાન પ્રદર્શન કરતાં સ્થાપિત ખેલાડીઓમાં વધુ વિશ્વાસ છે. આ જ નિર્ણય છે જે હવે ટીકાકારોના ઘેરામાં છે.

શું ‘પ્રક્રિયા’ પ્રતિભા કરતા વધુ મોટી થઇ ગઈ છે?

દરેક ખેલાડીએ પોતાના વારાની રાહ જોવી જોઈએ. આ સિદ્ધાંત યોગ્ય છે. પરંતુ, દરેક સિદ્ધાંતમાં અપવાદો પણ હોય છે. જો 16 વર્ષની ઉંમરમાં સચિન તેંડુલકર ફક્ત ‘પ્રક્રિયા’ની રાહ જોતા હોત, તો ભારતીય ક્રિકેટનો ઇતિહાસ ખૂબ જ અલગ હોત. જો 15 વર્ષનો બેટ્સમેન IPLમાં વિશ્વના શ્રેષ્ઠ બોલરોને ધોઇને 776 રન બનાવી શકે છે, તો તે સવાલ ઉઠવા સ્વાભાવિક છે કે તેણે સાબિત કરવા માટે બીજું શું બાકી છે?

vaibhav suryavanshi

અહંકાર નહીં… પણ નિર્ણય પર ચોક્કસપણે પ્રશ્ન ઉઠાવી શકાય છે ટીમ મેનેજમેન્ટ પર ‘અહંકાર’નો સીધો આરોપ લગાવવો વહેલો ગણાશે. જોકે, એ કહેવું વાજબી છે કે આ મુદ્દો ફક્ત પસંદગીનો રહી ગયો છે. દરેક પ્રેસ કોન્ફરન્સમાં વૈભવ વિશે પ્રશ્નો ઉઠાવવામાં આવે છે; દરેક જવાબમાં એ જ ‘પ્રક્રિયા’નો ઉલ્લેખ કરવામાં આવે છે; અને દરેક મેચ પછી ચર્ચા વધુ તીવ્ર બને છે. કારણ કે, જ્યારે મેનેજમેન્ટ પોતે સ્વીકારે છે કે કોઈ ખેલાડી તૈયાર છે, ત્યારે તેને વારંવાર બાજુ પર રાખવાથી પણે નિર્ણયોને સવાલોના ઘેરામાં જરૂર ઉભા કરે છે.

હવે ઇંગ્લેન્ડ પ્રવાસ પર છે બધાની નજર રહેશે. ભારત ઇંગ્લેન્ડ સામે T20 શ્રેણી રમવા માટે તૈયાર છે. જો વૈભવ સૂર્યવંશીને ત્યાં પણ તક ન મળે, તો ‘પ્રક્રિયા’ અંગેની દલીલ કદાચ વધુ નબળી પડી જશે. કારણ કે પ્રશ્ન હવે ફક્ત વૈભવ ક્યારે રમશે તે વિશે રહેશે નહીં, પરંતુ: ભારતીય ક્રિકેટમાં અસાધારણ પ્રતિભાને પણ ફક્ત તેના વારાની રાહ જોશે? અને જો ટીમ મેનેજમેન્ટ પહેલાથી જ સ્વીકારી ચૂક્યું છે કે ખેલાડી તૈયાર છે, તો તેના ડેબ્યૂના માર્ગમાં આખરે શું અવરોધ છે- પ્રક્રિયા, વ્યૂહરચના… અથવા પહેલાથી જ લીધેલા નિર્ણયને બદલવાની અનિચ્છા?

Leave a Reply

error: Content is protected !!