
છેલ્લા બે દિવસથી લુટિયન્સનું દિલ્હી વિરોધ પ્રદર્શનોનોનો અખાડો બની ગયું છે. મંગળવારે રાજકીય પક્ષો વચ્ચે શ્રેય મેળવવા માટે હોડ મચી ગઇ. ત્યારબાદ માનવામાં આવી રહ્યું છે કે સામાન્ય લોકો વચ્ચે વિદ્યાર્થીઓના આંદોલને લઇને જે પ્રકારનો મોહ બની રહ્યો હતો તે ભંગ થશે; કારણ કે, જનતા ઘણીવાર આંદોલન અને તેની સાથે સંકળાયેલા રાજકીય વ્યક્તિઓ વચ્ચે તફાવત કરી શકતી નથી. પરંતુ આ દરમિયાન, શાસક ગઠબંધનમાં એવી ચર્ચા છે કે જો સરકારે થોડા દિવસો પહેલા વધુ સક્રિયતા બતાવી હોત, તો આંદોલન ક્યારેય આ હદ સુધી વધ્યું ન હોત.
આવા આંદોલનોમાં સોશિયલ મીડિયા મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે આ આંદોલનમાં પણ થયું. એવો પ્રયાસ થવો જોઇતો હતો કે માત્ર સચોટ માહિતી જ આવા માધ્યમાં દ્વારા થાય. તો, કેટલાક પક્ષો માને છે કે CJP સાથે પહેલાં સરકારે સંવાદ માટે પહેલ કરવી જોઈતી હતી. આવા આંદોલનોમાં વારંવાર ટૂલકીટની વાત આવે છે, અને આ મામલે પણ તેને બળ મળી રહ્યું છે કારણ કે રાહુલ ગાંધીથી લઈને વિવિધ કાર્યકરો સુધીના વ્યક્તિઓના નિવેદનોને કારણે આવા નિવેદન આવતા રહ્યા છે કે દેશમાં નાના-નાના આંદોલન શરૂ કરવા પડશે. રાહુલ ગાંધીએ તો INDIA ગઠબંધનની બેઠકમાં જ આ વાત કહી હતી.

સાથી પક્ષોનું માનવું છે કે સરકારે મંગળવારે યોગ્ય પગલું ભર્યું: રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓએ અલગથી આંદોલન પર બેસતા જ, વડાપ્રધાન કાર્યાલયે રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહને વાટાઘાટો શરૂ કરવા માટે મોકલ્યા. આટલું જ નહીં, સરકારે NEET પેપર લીક પર સંસદીય ચર્ચા માટે સંમતિ આપી દીધી, જે રાહુલ ગાંધીની માંગ હતી. તેઓ ન માન્યા વાસ્તવમાં, આંદોલનમાં રાજકીય પક્ષોની ભાગીદારી જેટલી વધશે, તેટલી જ સામાન્ય જનતા પોતાને તેનાથી દૂર થતી જશે. કારણ કે આ આંદોલનમાં સરકાર અને વિપક્ષ વચ્ચે રાજકીય લડાઇ દેખાશે જે સામાન્ય રીતે ચૂંટણી પહેલા ક્યાંક ને ક્યાંક રસ્તાઓ પર જોવા મળે છે.
આગામી કેટલાક મહિનાઓમાં ઉત્તર પ્રદેશ અને પંજાબમાં ચૂંટણીઓ યોજાવાની છે, અને ઉત્તર પ્રદેશના યુવાનો પણ પ્રદર્શનકારીમાં ખૂબ જોવા મળે છે. છેલ્લા કેટલાક દિવસોથી સમાજવાદી પાર્ટી અને આમ આદમી પાર્ટી પહેલાથી જ ખૂબ સક્રિય હતા; જેમાં પોતાને પાછળ છૂતટા જોઇને મંગળવારે કોંગ્રેસ પાર્ટી પણ મેદાનમાં કૂદી પડી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા સોમવારે CJPના પ્રતિનિધિમંડળને મળ્યા, અને એવું લાગતું હતું કે આંદોલન હવે સમાપ્ત થઇ જશે. જોકે, થોડા સમય પછી સાંજે ફરીથી આંદોલનકારી જંતર-મંતર પર પાછા ફર્યા. હકીકતમાં હવે, રાજકીય પક્ષો તેને શાંત થવા દેવા માંગતા નથી. પરંતુ, જેટલા રાજકીય પક્ષોના ચહેરા જોવા મળશે, તેટલો જ મોહભંગ પણ થશે એ નક્કી છે.