fbpx

ગુજરાતમાં લોકસભાની 26 માંથી ભાજપે 27 ટકા કોંગ્રેસીઓને ટિકિટ આપી

Spread the love

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક વખત કહેલું કે કોંગ્રેસ મૂક્ત ભારત બનાવવાનું છે અને અત્યારે એ પ્રમાણે થઇ પણ રહ્યું છે. કોંગ્રેસના અનેક નેતાઓ પાર્ટી છોડીને ભાજપમાં આવી ગયા છે. જો કે કોંગ્રેસના નેતાઓ હવે કહે છે કે કોંગ્રેસ મૂક્ત નહી, પરંતુ કોંગ્રેસ યૂક્ત ભાજપ થઇ ગયું છે.

ભાજપ ભલે લોકસભાની બધી બેઠકો છેલ્લી 2 લોકસભાથી જીતતી આવતી હોય, પરંતુ કોંગ્રેસની જરૂરિયાત તો પડે જ છે. આ વખતની લોકસભામાં ભાજપે 26માંથી 7 કોંગ્રેસી ઉમેદવારોને ટિકિટ આપી છે. ગુજરાત વિધાનસભા 2022માં પણ ભાજપે કોંગ્રેસી ઉમેદવારોને ટિકિટ આપી હતી.

ભાજપના ઉમેદવારો આ વાતથી નારાજ છે કે, ભાજપે જૂના જોગીઓને ઘરે બેસાડી દીધા છે, પરંતુ આયાતી ઉમેદવારો માટે પ્રચાર કરવા પડે છે.

error: Content is protected !!
%d bloggers like this: