fbpx

પ્રાંતિજ ના અનવરપુરા મા ગાળો-બોલી લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા પોલીસ ફરિયાદ

Spread the love

પ્રાંતિજ ના અનવરપુરા મા ગાળો-બોલી લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા પોલીસ ફરિયાદ
– પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા ત્રણ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ
– પ્રાંતિજ પોલીસે ત્રણ વિરૂધ્ધ ગુનોનોંધી આગળ ની તપાસ હાથ ધરી
     


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના અનવપુરા ખાતે ગાળો-બોલી લાકડી વડે માર મારી ગડદાપાટુ નો માર મારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા ત્રણ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ


   પ્રાંતિજ ના અનવરપુરા ખાતે રહેતા કનુભાઇ રમણભાઇ પટેલ તેવો પોતાની ગાડી લઈ જતા હતા તે સમયે તેવો ની ગાડી ઉભી રાખવાનુ કહેતા કનુભાઈ એ ગાડી ઉભી રાખતા તે માંથી મણીભાઇ અંબાલાલ પટેલ ઉતરી કનુભાઈ પટેલ ને કહેવા લાગેલ કે તમોએ અમારી જગામા મકાન બનાવી દીધેલ છે તેમા હવે રહેતા નહી અને તે મકાન ખાલી કરી દો તેમ કહી મનફાવે તેમ ગાળો બોલી મણીભાઇ પટેલ તથા કેવલભાઇ પટેલ કનુભાઈ ને બન્ને બાજુથી પકડી પાડેલ અને મહેશભાઇ પટેલ લાકડી લઈ આવી કનુભાઈ પટેલ ને ઢીંચણ ના નીચેના ભાગે મારી તથા કેવલ ભાઇ પટેલ દ્રારા કનુભાઈ ને શરીરે ગળદાપાટુ નો માર મારી મણીભાઇ પટેલ તથા મહેશભાઇ પટેલ તથા કેવલભાઇ પટેલ ત્રણેય જણા જતા જતા કનુભાઈ ને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી જિલ્લા મેજિસ્ટ્રેટ ના જાહેરનામ નો ભંગ કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા કનુભાઈ રમણભાઇ પટેલ રહે.અનવરપુરા તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા દ્રારા પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે આઇપીસી કલમ- ૧૧૫(૨) ૩૫૨,૩૫૧(૩),૫૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ મણીભાઇ અંબાલાલ પટેલ , મહેશભાઇ મણીભાઇ પટેલ , કેવલભાઇ મહેશભાઇ પટેલ ત્રણેય રહે અનવરપુરા તા.પ્રાંતિજ , જિ.સાબરકાંઠા વિરૂધ્ધ ગુનોનોંધી આગળની તપાસ અનવરપુરા બીટ જમાદાર ભરત કુમાર નારણભાઇ દ્રારા તપાસ હાથ ધરવામા આવી છે

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!