fbpx

વાયકર 48 મતથી ચૂંટણી જીતવામાં ફસાયા, હાઇકોર્ટે શિંદે જૂથના MPને સમન્સ પાઠવ્યું

Spread the love

NDAના સાંસદનો નજીવા મતોથી વિજય તેમના માટે સમસ્યા બની ગયો છે અને તે બીજું કોઈ નહીં પણ મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેના જૂથના શિવસેના સાંસદ રવિન્દ્ર વાયકર છે, જે લોકસભાની ચૂંટણીમાં માત્ર 48 મતથી જીત મેળવીને દેશની સંસદમાં પહોંચ્યા હતા. હવે બોમ્બે હાઈકોર્ટે તેમની સામે સમન્સ બહાર પાડ્યું છે. વાયકરને મુશ્કેલીમાં મૂકનાર વ્યક્તિ ઉદ્ધવ જૂથના શિવસેના નેતા અમોલ કીર્તિકર છે, જેમણે વાઈકરની જીતને રદ કરવાની માગણી કરતી અરજી કોર્ટમાં દાખલ કરી છે.

અહીં તમને જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણીમાં શિંદે જૂથના શિવસેનાના રવિન્દ્ર વાયકર મુંબઈ નોર્થ વેસ્ટ સીટ પરથી માત્ર 48 વોટથી જીત્યા હતા. આવી સ્થિતિમાં શિવસેના (UBT)ના નેતા અમોલ કીર્તિકરની ચૂંટણી અરજી પર મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાના રવિન્દ્ર વાયકરને સમન્સ મોકલવામાં આવ્યું છે. આ કેસની સુનાવણી જસ્ટિસ સંદીપ V. માર્નેની સિંગલ બેંચ કરી રહી છે. બેન્ચે કહ્યું કે વાઈકર અને અન્ય પ્રતિવાદીઓએ 2 સપ્ટેમ્બરે કોર્ટમાં કિર્તિકરે તેમની અરજીમાં કરેલા દાવાઓનો જવાબ આપવા માટે હાજર રહેવું પડશે.

બોમ્બે હાઈકોર્ટની સિંગલ બેંચે કહ્યું કે, પ્રતિવાદીઓને સમન્સ મોકલી આપવામાં આવે, જેનો જવાબ 2 સપ્ટેમ્બર, 2024 સુધીમાં આપવામાં આવે. અહીં તમને જણાવી દઈએ કે, અમોલ કીર્તિકર વાયકર સામે માત્ર 48 વોટથી હારી ગયા હતા. તેમણે ભારતના ચૂંટણી પંચ (ECI)ના અધિકારીઓ પર પારદર્શિતાના અભાવ અને ક્ષતિઓનો આરોપ મૂક્યો છે અને દાવો કર્યો છે કે તેમને મતોની પુન:ગણતરી માટે અરજી દાખલ કરવાની મંજૂરી આપવામાં આવી નથી.

અમોલ કીર્તિકરે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, ચૂંટણી પંચના અધિકારીઓએ મતગણતરી વિસ્તારની અંદર મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાની છૂટ આપી હતી અને ઢોંગ કરનારાઓને 333 મત આપવા દીધા હતા. બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી તેમની અરજીમાં, કીર્તિકરે એમ પણ કહ્યું હતું કે, તેમના કાઉન્ટિંગ એજન્ટોને રિટર્નિંગ ઓફિસરના ટેબલ પર બેસવાની મંજૂરી આપવામાં આવી ન હતી, જો કે તે એક વૈધાનિક જરૂરિયાત હતી છતાં.

તેમણે કહ્યું કે ફોર્મ 17-C (ભાગ II) (મતદાનનો રેકોર્ડ) બે વિધાનસભા મતવિસ્તારો, જોગેશ્વરી અને વર્સોવા અને ગોરેગાંવના અન્ય એક વિધાનસભા મતવિસ્તારમાં આવેલા 276 મતદાન મથકોમાંથી કોઈપણમાં આપવામાં આવ્યું ન હતું.

અમોલ કીર્તિકરની અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તેમને મતોની પુન:ગણતરી માટે અરજી કરવાની કોઈ વાજબી તક આપવામાં આવી ન હતી અને ત્યારપછીની લેખિત વિનંતીને નકારી કાઢવામાં આવી હતી. કીર્તિકરે વાયકરની ચૂંટણીને રદબાતલ જાહેર કરવા અને અરજદાર (કીર્તિકર)ને 18મી લોકસભા માટે યોગ્ય રીતે ચૂંટાયેલા જાહેર કરવા માટે કોર્ટ પાસેથી નિર્દેશ માંગ્યો છે.

error: Content is protected !!