fbpx

રામ મંદિર બનાવવાનું કામ અટક્યું, ક્યાં જતા રહ્યા શ્રમિકો? કંપની અને ટ્રસ્ટ…

Spread the love

અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય અધ્ધર જ અટકી ગયું છે. સ્થિતિ એવી છે કે નિર્માણના કામની ગતિ છેલ્લા 3 મહિનાથી ધીમી પડી છે. કારણ એ છે કે અહી કામમાં લાગેલા મંજૂર પોત પોતાના ઘરે જતા રહ્યા છે અને હવે તેઓ પરત આવવા તૈયાર જ નથી. મજૂર રામ મંદિરનું નિર્માણ કરાવી રહેલી L&T કંપનીની વાત પણ આ સાંભળવા તૈયાર નથી. આવી સ્થિતિ જોઈને રામ મંદિર નિર્માણ સમિતિના ચેરમેન ન્રૃપેન્દ્ર મિશ્રાએ તેમાં દખલઅંદાજી કરવી પડી છે અને તેમણે કંપનીને કહ્યું છે કે જલદી તેઓ 200 કરતા વધુ મજૂર અહી વધારે.

ઉલ્લેખનીય છે કે રામ મંદિર નિર્માણમાં મજૂરોની ભારે કમી આવી છે અને છેલ્લા 3 મહિનામાં રામ મંદિર નિર્માણની ગતિ ખૂબ જ ધીમી પડી છે. તેના કારણે રામ મંદિર બનાવવાનું જે લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું, તે મુજબ રામ મંદિરના નિર્માણમાં 2 મહિના સુધીનો વિલંબ થઈ શકે છે. રામ મંદિર નિર્માણ સમિતિ તરફથી ડિસેમ્બર 2024નું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. હવે મજૂરોની કમીના કારણે લક્ષ્ય પૂરું કરવામાં પરેશાની સામે આવી રહી છે. અહી મજૂરોની કમી હોવાની વાત કરીએ તો તેની પાછળનું કારણ છે ભીષણ ગરમી.

આ લોકો ભારે ગરમીના કારણે પોત પોતાના ઘરે જતા રહ્યા છે. હવે મંદિરનું નિર્માણ કરાવી રહેલી L&T કંપની મજૂરોને પરત લાવવામાં સફળ થઈ રહી નથી. તેને લઈને કાલે મીટિંગ પણ બોલાવવામાં આવી. આ બેઠકમાં રામ મંદિર નિર્માણ સમિતિના ચેરમેન ન્રૃપેન્દ્ર મિશ્રાએ કંપનીને કહ્યું છે કે રામ મંદિર નિર્માણ પૂરું કરવાનું લક્ષ્ય 2024 નક્કી કરવામાં આવ્યું છે. સૌથી મોટો પડકાર મંદિરના શિખરના નિર્માણનો છે. શિખરનું નિર્માણ ત્યારે જ થઈ શકે છે, જ્યારે બીજા તળનું નિર્માણ પૂરું થઈ જાય.

તેમના મુજબ જો આજની ગતિથી નિર્માણ કરવામાં આવ્યું તો 2 મહિના સુધીનો વિલંબ થઈ શકે છે. તેમણે L&Tને નિર્દેશ આપ્યો છે કે તેઓ મજૂરોની સંખ્યા તાત્કાલિક વધારે અને રામ મંદિર નિર્માણની ગતિ જે અપેક્ષિત છે, જે છેલ્લા 3 મહિનામાં ધીમી થઈ છે, તેને પૂરી કરે. મજૂરોની સંખ્યામાં ભારે કમી છે. એવામાં કંપની તરફથી 200 થી 250 મજૂર હજુ વધારવામાં ન આવ્યા તો નિશ્ચિત જ ડિસેમ્બરમાં કામ પૂરું નહીં થઈ શકે. તો કંપનીએ મજૂરોની સંખ્યા વહેલી તકે વધારીને રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂરું કરવા કહેવામાં આવ્યું છે.

error: Content is protected !!