fbpx

PM દેશને એવા માર્ગે દોરી રહ્યા છે જેને આખી દુનિયા ઓળખે છેઃ ઉપરાષ્ટ્રપતિ

Spread the love

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે નાગરિકોને રાષ્ટ્રવાદ સાથે સમાધાન કરવા સામે ચેતવણી આપી હતી અને તેને ‘રાષ્ટ્ર સાથે અંતિમ વિશ્વાસઘાત’ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ‘જ્યાં પણ કોઈ પણ રાષ્ટ્રની અખંડિતતાને જોખમમાં મૂકે છે, આપણે તેને સહન કરવું જોઈએ નહીં.’ રાષ્ટ્ર પ્રત્યેની ફરજને આપણે હંમેશાં સ્વાર્થ અને રાજકીય હિતથી ઉપર રાખવી જોઈએ તે બાબત પર પ્રકાશ પાડતા ઉપરાષ્ટ્રપતિએ ચેતવણી આપી હતી કે આમ કરવામાં નિષ્ફળતા એ ભારતની સભ્યતાની નૈતિકતા પર હુમલો કરવા સમાન છે, જે અનેક સહસ્ત્રાબ્દીઓ સુધી ફેલાયેલી છે.

સંબોધન કરતાં ઉપરાષ્ટ્રપતિએ સૈનિક સ્કૂલ ચિત્તોડગઢના વિદ્યાર્થી તરીકેના પોતાના દિવસોને યાદ કર્યા હતા અને તેમની વ્યક્તિગત અને વ્યાવસાયિક સફરને આકાર આપવામાં તેમની અલ્મા મેટરની અસર પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું, ‘જ્યારે મારો જૈવિક જન્મ કિથાના ગામમાં હતો, ત્યારે મારો અસલી જન્મ સૈનિક સ્કૂલ ચિત્તોડગઢમાં થયો હતો.’ જગદીપ ધનખરે વ્યક્તિને તેમના જીવન પર વધુ નિયંત્રણ આપવા, અને અસમાનતાઓનો નાશ કરવામાં અને સમાજમાં વ્યાપકપણે ગેરરીતિઓને દૂર કરવામાં શિક્ષણની શક્તિ પર પ્રકાશ પાડ્યો હતો.

વૈશ્વિક મંચ પર ભારતની વિશિષ્ટ ઓળખ તરફ ધ્યાન દોરતા ઉપરાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘દેશને એ પથ પર અગ્રેસર કરવામાં’ પ્રદાનને બિરદાવ્યું હતું, જેને સમગ્ર વિશ્વ ઓળખે છે. જગદીપ ધનખરે કહ્યું હતું કે, ‘આજનું ભારત દસ વર્ષ પહેલાં હતું તેવું નથી. ‘આર્ટિકલ 370, જેને બંધારણના ઘડવૈયાઓએ કામચલાઉ ગણાવ્યું હતું, તેને કેટલાક લોકો દ્વારા કાયમી માનવામાં આવતું હતું. આ દાયકામાં તેને નાબૂદ કરી દેવામાં આવી છે. આ આજનું ભારત છે.’

ગોરખપુરમાં નવી સૈનિક સ્કૂલની સ્થાપના પ્રસંગે તેમની પ્રશંસા કરતા ઉપરાષ્ટ્રપતિએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ શાળા ભાવિ પેઢીઓના વિકાસ માટે માર્ગ મોકળો કરશે. ‘તે અન્ય રાજ્યો માટે અને સમગ્ર દેશ માટે અનુકરણ કરવા માટે એક માપદંડ સ્થાપિત કરશે,’ જગદીપ ધનખરે વિસ્તૃત વર્ણન કર્યું હતું.

ઉત્તર પ્રદેશ રાજ્ય દ્વારા શાસનમાં અને કાયદાના શાસનને જાળવવામાં નોંધપાત્ર પ્રગતિ પર ભાર મૂકતા ઉપરાષ્ટ્રપતિએ નોંધ્યું હતું કે, ‘દેશમાં વ્યાપ્ત વિકાસની લહેરમાં ઉત્તર પ્રદેશની ભાગીદારી રાષ્ટ્રનિર્માણમાં મોટું પ્રદાન છે.’

કેડેટ્સને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ તેમના મનમાંથી ભય દૂર કરવા વિનંતી કરી હતી. ચંદ્રયાન-3ની સફળતાનું નિર્માણ ચંદ્રયાન-2માંથી મળેલા બોધપાઠ પર કેવી રીતે કરવામાં આવ્યું હતું તેનું વર્ણન કરતાં જગદીપ ધનખરે કહ્યું હતું કે, ‘નિષ્ફળતા એ સફળતાનો પાયો છે.’ 

તેમની મુલાકાત દરમિયાન જગદીપ ધનખર અને ડૉ. સુદેશ ધનખરે તેમની દિવંગત માતાઓ મતી કેસરી દેવી અને ભગવતી દેવીની યાદમાં નવનિર્મિત સૈનિક સ્કૂલ ગોરખપુરના પરિસરમાં રોપાઓનું વાવેતર કર્યું હતું. તેઓએ પરિસરમાં શૂટિંગ રેન્જનું ઉદઘાટન પણ કર્યું હતું.

error: Content is protected !!