fbpx

લાલબાગ ચા રાજાને મળ્યું 5.65 કરોડ રોકડ દાન, આટલા કિલો સોનું

Spread the love

ગણેશ વિસર્જન પુરુ થયા પછી જ્યારે લાલબાગ ચા રાજા મંડળે લોકોએ ગણેશજીને ભેટ ધરાવેલી રોકડ રકમ અને સોના-ચાંદીની ગણતરી કરી લીધી છે અને ભક્તોએ ભગવાનને 5.65 કરોડ રોકડ, 4.15 કિલો સોનું અને 64.32 કિલો ચાંદી ધરાવી હતી.

હાલના સોનાના ભાવ પ્રમાણે 1 કિલો સોનાની કિંમત લગભગ 76.30 લાખ રૂપિયા થાય છે, મતલબ કે 3.40 કરોડ રૂપિયાનું સોનું ભેટમાં ધરાવાયું. જ્યારે 1 કિલો ચાંદીની કિંમત 91,700 રૂપિયા છે એટલે 58 લાખ રૂપિયાની ચાંદી ભેટમાં આવી. રોકડ, સોના-ચાંદી સાથે કુલ 9.63 કરોડની રકમ થઇ.

આ પહેલા અનંત અંબાણીએ 20 કિલો સોનાનો 15 કરોડની કિંમતનો મુગુટ ભેટમાં આપ્યો હતો એ અલગ. લાલબાગ ચા રાજા મંડળે શનિવારે 1 કિલો સોનાની ઇંટ હરાજીમાં 75.9 લાખ રૂપિયામાં અને 1 કિલો સોનાનો હાર 74 લાખ રૂપિયામાં વેચી દીધો છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!