fbpx

સરકારી અધિકારીઓની મીલિભગતમાં અમદાવાદમાં 250 કરોડની જમીનનું કૌભાંડ

Spread the love

અમદાવાદના લીલાપુરમાં એક 24 વીઘા જમીન કે જેની પર ગુજરાત હાઇકોર્ટે બે વખત મનાઇ હૂકમ ફરમાવ્યો છે એ જમીનને 250 કરોડ રૂપિયામાં વેચી દેવાઇ હોવાનું જાણવા મળ્યું છે.

દિવ્ય ભાસ્કરના એક અહેવાલમાં કહેવાયું છે કે, સોલા સબ રજિસ્ટ્રારના અધિકારીઓની મીલિભગતને કારણે મનાઇ હુકમ છતા દસ્તાવેજ બની ગયો. મનાઇ હુકમ સામે કૌભાંડીઓએ સોંગદનામું કરીને ડોક્યુમેન્ટને દસ્તાવેજનો ભાગ બનાવી દીધો.

 આ આખા કૌભાંડમાં મુખ્ય ખેલાડી પલ્લવી પટેલ અને સરકારનો એક ઉચ્ચ અધિકારી સામેલ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

કૌભાંડ બહાર ન આવે એના માટે સબ રજિસ્ટ્રારને ગાંધીનગર મહેકમ શાખામાં બદલી કરી દેવામાં આવી. આ શાખા રાજ્યના કૌભાંડોની તપાસ કરવાનું કામ કરે છે. મતલબ કે કૌભાંડ કરનાર જ કૌભાંડની તપાસ કરશે.

error: Content is protected !!