પ્રાંતિજ ભાંખરીયા બસ સ્ટેશન તથા હનુમાનજી મંદિર આગળ ભગવો ધ્વજ બદલવામા આવ્યો
– હિન્દુ એકતા સંગઠન દ્રારા નવીન કેસરીયો ધ્વજ લહેરાવવામા આવ્યો
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ભાંખરીયા બસ સ્ટેશન તથા હનુમાનજી મંદિર આગળ હિન્દુ એકતા સંગઠન દ્રારા નવીન કેસરીયો ધ્વજ બદલાવા આવ્યો હતો જેમા હિન્દુ એકતા સંગઠન ના પ્રમુખ મંત્રી સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા


પ્રાંતિજ ખાતે હિન્દુ એકતા સંગઠન દ્રારા પ્રાંતિજ ભાંખરીયા બસ સ્ટેશન પોલીસ ચોકી પાસે તથા હનુમાનજી મંદિર આગળ લગાવવામા આવેલ ભગવા ધ્વજ ને કુમકુમ તિલક પુજા કરી નવીન કેસરીયો ધ્વજ લહેરાવવામા આવ્યો હતો જેમા આ પ્રસંગે મેહુલસિંહ ઝાલા , મહેન્દ્રસિંહ રાઠોડ , સંદીપભાઇ શાહ જીલુસિંહ મકવાણા , મીલનભાઇ કડીયા , રણજિતસિંહ પરમાર , દિપસિંહ રાઠોડ સહિત સંગઠન ના કાર્યકરો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નવો કેસરીયો ધ્વજ બદલવામા આવ્યો હતો
જીલ રાવલ પ્રાંતિજ
