fbpx

જો દિલ્હીમાં કમળ ખીલે તો દેશના રાજકારણમાં આ 5 મોટા ફેરફારો આવશે

Spread the love

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન પછી જે એક્ઝિટ પોલ જાહેર થયા તે બતાવે છે કે આ વખતે દિલ્હીમાં કમળ ખીલી શકે છે. જો આ વખતે ભાજપ દિલ્હીમાં જીતશે તો ભાજપ માટે મોટી સિધ્ધી હશે, પરંતુ દેશના રાજકારણમાં 5 મોટો ફેરફાર આવશે.

(1) લોકસભાની ચૂંટણી પછી એવું મનાતું હતું કે,PM મોદીનો કરિશ્મા ડાઉન થઇ ગયો છે, પરંતુ જો દિલ્હીમાં ભાજપ જીતશે તો ફરી PM મોદીનું વર્ચસ્વ વધી જશે.

(2) વિપક્ષો ફરી ભેગા થશે કારણકે તેમને ખબર પડી જશે કે ભાજપને એકલા હાથે હરાવવું મુશ્કેલ છે.

(3) કોંગ્રેસનો વોટ શેર જો 8થી 10 ટકા રહેશે તો કોંગ્રેસ મજબુત થશે.

(4) વન નેશન- વન ઇલેકસન અને વક્ક બોર્ડ બિલ માટે ભાજપને સરળતા રહેશે અને આત્મવિશ્વાસથી આગળ વધી શકશે.

(5) રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની શક્તિની ફરી સમીક્ષા થશે. લોકસભા 2024માં RSS ભાજપથી નારાજ હતું, પરંતુ મહારાષ્ટ્ર, હરિયાણા અને દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં RSSએ ઘણી મહેનત કરી.

error: Content is protected !!