fbpx

પ્રાંતિજ સહિત તાલુકા મા પણ વાવાઝોડા એ આંકત મચાવ્યો

Spread the love

નવ થી વધુ મકાન ના પતરા ઉડયા ૨૯ થી વધુ વિજપોલ ધરાશાયી
પ્રાંતિજ સહિત તાલુકા મા પણ વાવાઝોડા એ આંકત મચાવ્યો
– પ્રાંતિજ તથા તાલુકામા મકાનોના પતરા ઉડયા , વિજપોલ અને ઝાડ ધરાશાયી થયા વીજવાયરો ટુટયા
– પ્રાંતિજ મા વીજપુરવઠો ખોરવાતા લોકો પરેશાન
– વિજપોલ ઝાડ પડતા પાંચ કાર ડટાઇ
             


સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકા મા પણ વાવાઝોડાએ આંતક મચાવ્યો હતો દિવસ ભર ઉકળાટ ગરમી બાદ સાજ ના આઠ વાગે વાવાઝોડુ ફુકાયુ હતુ જેમા પ્રાંતિજ સહિત તાલુકા મા ૨૯ થી વધુ વિજપોલ તથા વુક્ષો ધરાશાયી થયા હતા તો નવ થી વધુ મકાનોના પતરા ઉડયા હતા

વાવાઝોડા ની આગાહી ની અસર પ્રાંતિજ સહિત તાલુકામા પણ જોવા મળી હતી જેમા પ્રાંતિજ આંટીયાવાસ ખાતે વિજપોલ ધરાશાયી થતા અને પીપડાનુ ઝાડ પડતા પાંચ જેટલી ગાડીઓ ડટાઇ હતી તો વિજપોલ ઝાડ પડવાને લઈ ને ગાડીઓનો કુચડો થઈ ગયો હતો તો નાની ભાગોળ વિસ્તાર મા પણ એક વિજપોલ ધરાશાયી થયો હતો તો પ્રાંતિજ સહિત તાલુકા ૨૯ થી વધુ વિજપોલ ધરાશાયી થયા હતા જેમા ૨૦ ઈલેવન કેબીના , ૫ એલલાઇન , ૪ ડીપી સેન્ટર ના વિજપોલ ધરાશાયી થયા હતા

તો પ્રાંતિજ રેલ્વેસ્ટેશન વિસ્તાર મા જીઇબી પાછળ રહેતા રાવલ ભરતભાઇ ભોળાનાથ ના રહેણાંક  મકાન ના પતરા ઉડયા હતા તો પ્રાંતિજ ના નનાનપુર ખાતે પણ સવિતાબેન દશરથભાઇ નાયી અને રમેશભાઇ નાયીના મકાન ના પતરા ઉડી દુરદુર સુધી ફંગોળાયા હતા તો વાવાઝોડુ એટલુ તેજ હતુ કે ધરમા લાંકડા ના દોરીયા ઉપર લાગેલ ઇલેક્ટ્રીક પંખા અને લાંકડા ના દોરીયા સાથે મકાનના પતરા ઉડયા હતા તો ધડી , અમરાપુર ,ફતેપુરા , મહાદેવ પુરા , વાધપુર , મૌછા મા પણ એક-એક મકાન ના પતરા સહિત નવ થી વધુ મકાન ના પતરા ઉડયા હતા તો વાવાઝોડા ને લઈ ને અનેક જગ્યાએ પ્રાંતિજ સહિત તાલુકામા ઝાડ તથા ઝાડના ડાળા પડવાના બનાવો બન્યા હતા

તો હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે -૪૮  ઉપર મોટુ તોતીગ હોલ્ડિંગ બોડ રોડ વચ્ચોવચ ધરાશાયી થતા નેશનલ હાઇવે થોડા સમય માટે બંધ થતા ટ્રાફિક જામ થયો હતો તો અનેક જગ્યાએ નાનામોટા હોલ્ડિંગ બોલ પડવાના ઉડવાના બનાવો બન્યા હતા તો વાવાઝોડા ને લઈ ને પ્રાંતિજ સહિત તાલુકા મા ૨૯ થી વધુ વીજ પોલ ધરાશાયી થયા હતા તો આઠ થી વધુ જગ્યાએ વીજ વાયરો ટુટયા હતા તો રાત્રી ના વિજળી ડુલ થઈ હતી તો વાવાઝોડા બાદ બાદમા વરસાદ પડયો હતો અને વરસાદ બાદ વીજપ્રવાહ ના હોય લોકો ઉકળાટ બફાળા ગરમી મા સેકાઇ ગયા હતા અને મચ્છરો થી તોબા-તોબા પોકારી ઉઠયા હતા તો રાત્રી ના વિજપુરવઠો ચાલુ થતા લોકો ને ગરમી ઉકળાટ મા રાહત થઈ હતી

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!