fbpx

USમાં ચીની મહિલા વૈજ્ઞાનિક પાસેથી મળી ખતરનાક ફૂગ ભરેલી પ્લાસ્ટિકની થેલી

Spread the love
USમાં ચીની મહિલા વૈજ્ઞાનિક પાસેથી મળી ખતરનાક ફૂગ ભરેલી પ્લાસ્ટિકની થેલી

યુનકિંગ જિયાન અને જુન્યોંગ લિયુ… આ બે નામ હાલમાં અમેરિકામાં ચર્ચાનો વિષય છે. 33 વર્ષીય જિયાન અને 34 વર્ષીય લિયુ બંને ચીની નાગરિકો છે જેમના પર અમેરિકામાં એક ખૂબ જ ખતરનાક ફૂગની દાણચોરી કરવાનો આરોપ છે, જે પાકમાં રોગ પેદા કરે છે. બંને ચીની નાગરિકોની કાવતરું ઘડવા, અમેરિકામાં દાણચોરી કરવા, ખોટા નિવેદનો આપવા અને વિઝા છેતરપિંડીના આરોપસર ધરપકડ કરવામાં આવી છે.

મંગળવારે US જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પડાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બંને ચીની નાગરિકોએ ‘ફ્યુઝેરિયમ ગ્રામીનેરમ’ નામના ખતરનાક ફૂગની અમેરિકામાં દાણચોરી કરી છે જેને વૈજ્ઞાનિકો કૃષિ આતંકવાદનું શસ્ત્ર કહે છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, જિયાન અને તેના બોયફ્રેન્ડ લિયુને તેમના સંશોધન માટે ચીની સરકાર તરફથી કથિત રીતે ભંડોળ મળી રહ્યું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, લિયુ એક ચીની યુનિવર્સિટીમાં કામ કરે છે અને તે ત્યાં ફ્યુઝેરિયમ ગ્રામીનેરમ પર સંશોધન કરી રહ્યો છે.

Agroterrorism, Chinese Scientists

પૂછપરછ દરમિયાન, પહેલા તો તે ખોટું બોલ્યો અને પછી સ્વીકાર્યું કે તે ડેટ્રોઇટ મેટ્રોપોલિટન એરપોર્ટ દ્વારા ગ્રામીનેરમને US લાવવાનો હતો. તે મિશિગન યુનિવર્સિટીની લેબમાં તેનું સંશોધન કરવા માંગતો હતો, જ્યાં તેની ગર્લફ્રેન્ડ જિયાન કામ કરતી હતી. બંને ચીની નાગરિકો ચીનની શાસક કમ્યુનિસ્ટ પાર્ટી સાથે સંકળાયેલા હોવાનું માનવામાં આવે છે.

ચીની નાગરિકો વિરુદ્ધ દાખલ કરાયેલા સોગંદનામા મુજબ, 27 જુલાઈ, 2024ના રોજ, લિયુએ USમાં પ્રવેશ કર્યો અને અધિકારીઓને કહ્યું કે તે તેની ગર્લફ્રેન્ડને મળવા આવ્યો છે. તેણે કહ્યું કે તે થોડાક જ સમયમાં પાછો નીકળી જશે કારણ કે તેને ચીનમાં પોતાની લેબ શરૂ કરવાની છે.

એક અમેરિકન ટેલિવિઝન નેટવર્કના અહેવાલ મુજબ, લિયુએ કથિત રીતે કહ્યું કે, તેની પાસે કોઈ ઉપયોગી વસ્તુઓ નથી, પરંતુ બીજી વખત તેના સામાનની તપાસ કરતાં, અધિકારીઓને ચાઇનીઝ ભાષામાં એક ચિઠ્ઠી, ગોળ આકારનો ફિલ્ટર પેપરનો ટુકડો અને ચાર પ્લાસ્ટિક બેગ મળી, જેની અંદર લાલ રંગની વનસ્પતિ સામગ્રીના નાના ગુચ્છા હતા.

પૂછવામાં આવતા, લિયુએ US અધિકારીઓને કહ્યું કે તેને ખબર નથી કે આ વસ્તુઓ તેની બેગમાં કેવી રીતે પહોંચી. પરંતુ પછી કડક પૂછપરછમાં, તેણે સંપૂર્ણ સત્ય જાહેર કર્યું. કોર્ટના રેકોર્ડ મુજબ, તે સમયે તેની ધરપકડ કરવામાં આવી ન હતી.

Agroterrorism, Chinese Scientists

ફરિયાદ મુજબ, ‘લિયુએ કહ્યું કે તેણે જાણીજોઈને નમૂનાઓ તેની બેગમાં છુપાવ્યા હતા, કારણ કે તે જાણતો હતો કે તે જે વસ્તુ લઈ જઈ રહ્યો હતો તેની આયાત પર પ્રતિબંધ છે. લિયુએ કબૂલાત કરી કે તેણે જાણીજોઈને નમૂનાઓ ટીશ્યુના એક બંડલમાં રાખ્યા હતા, જેથી US અધિકારીઓ તેને શોધી ન શકે અને તે અમેરિકામાં તેનું સંશોધન ચાલુ રાખી શકે.’

ફ્યુઝેરિયમ ગ્રામીનેરમ એક જૈવિક રોગકારક છે. જૈવિક રોગકારક એ એક પ્રકારનો સૂક્ષ્મજીવો છે જે રોગ પેદા કરી શકે છે અથવા મનુષ્યો, પ્રાણીઓ અને છોડ સહિત અન્ય જીવંત જીવોને નુકસાન પહોંચાડી શકે છે.

ફ્યુઝેરિયમ ગ્રામીનેરમ એક હાનિકારક ફૂગ છે, જે ઘઉં, જવ, ઓટ્સ અને મકાઈ જેવા અનાજના પાકોને ચેપ લગાડે છે. તે પાકમાં ફ્યુઝેરિયમ હેડ બ્લાઈટ (FHB) અથવા ‘સ્કેબ’ નામનો રોગ પેદા કરે છે. જો આ રોગ પાકને અસર કરે છે, તો અનાજની ગુણવત્તા બગડે છે અને પાકની ઉપજમાં પણ ભારે ઘટાડો થાય છે.

આ ફૂગ પાકને અસર કર્યા પછી, તે ડીઓક્સિનિવાલેનોલ અને જેરાલેનોન જેવા ઝેર ઉત્પન્ન કરે છે, જે અનાજને ખાવા લાયક નથી રાખતું. અનાજ ઝેરી પણ બની શકે છે અને મનુષ્યો અને પ્રાણીઓના સ્વાસ્થ્ય માટે ખતરો બની શકે છે. જો કોઈ વ્યક્તિ ફ્યુઝેરિયમ ગ્રામીનેરમથી પ્રભાવિત અનાજ ખાય છે, તો તેને ઉલટી, લીવરને નુકસાન અને પ્રજનન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

Rahul Gandhi

તેની ખતરનાક અસરોને ધ્યાનમાં રાખીને, ફ્યુઝેરિયમ ગ્રામીનેરમને કૃષિ અને ખાદ્ય સુરક્ષા માટે એક મોટો ખતરો માનવામાં આવે છે અને વૈજ્ઞાનિકોએ તેના ઉપયોગને કૃષિ આતંકવાદ ગણાવ્યો છે.

સરળ શબ્દોમાં કહીએ તો, જૈવિક એજન્ટોનો ઉપયોગ કરીને ખેતીના પાકનો નાશ કરવા માટે ખેતરોને નિશાન બનાવવાને ‘કૃષિ-આતંકવાદ’ કહેવામાં આવે છે. જે દેશોની અર્થવ્યવસ્થા કૃષિ પર નિર્ભર છે તેમના માટે તે ગંભીર પરિણામો લાવી શકે છે.

તેનો હેતુ જે તે દેશની અર્થવ્યવસ્થાનો નાશ કરવાનો અને સામાજિક અશાંતિ પેદા કરવાનો છે. આ આતંકવાદમાં પકડાઈ જવાની શક્યતા પણ ખૂબ ઓછી છે અને તેની કિંમત ઓછી છે, પરંતુ તેની અસરકારકતા વધારે છે.

સૌથી મોટી વાત એ છે કે, આવા જૈવિક હુમલાઓ સામે ફોજદારી સજા આપવા માટે કોઈ આંતરરાષ્ટ્રીય કાનૂની માળખું અસ્તિત્વમાં નથી. આવા જૈવિક શસ્ત્રોનો ઉપયોગ નવો નથી, પરંતુ આના કિસ્સાઓ પહેલા પણ જોવા મળ્યા છે.

Rahul Gandhi

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, જર્મનીએ ‘કોલોરાડો પોટેટો બીટલ’ વડે બ્રિટનમાં બટાકાના પાકને નિશાન બનાવ્યો હતો. બટાકાના પાકનો નાશ કરનારા જંતુઓ 1943માં ઈંગ્લેન્ડમાં મળી આવ્યા હતા, જે દર્શાવે છે કે નાના પાયે હુમલો થયો હશે. બ્રિટનમાં ફ્લાઇટ્સ દ્વારા જંતુઓ છોડવામાં આવ્યા હતા.

મોસ્તાગેનેમ યુનિવર્સિટીના એક સંશોધન પત્ર મુજબ, તે જ સમયગાળા દરમિયાન, જાપાને ‘કૃષિ-આતંકવાદ’ના વિકલ્પ પર પણ વિચાર કર્યો હતો, જેનો હેતુ યુદ્ધ ચાલુ રહે તો અમેરિકા અને સોવિયેત યુનિયન રશિયાના ઘઉંના ખેતરો પર જંતુઓથી હુમલો કરવાનો હતો.

અમેરિકાએ પણ 30 ટનથી વધુ પુક્સિનિયા ટ્રિટીસી જંતુઓનો સંગ્રહ કર્યો હતો, જે એક ફૂગ છે જે ઘઉંના પાકનો નાશ કરે છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે, USએ શરૂઆતમાં જાપાનમાં ચોખાના પાકનો નાશ કરવાની યોજના બનાવી હતી, પરંતુ ત્યાર પછી જાપાનને શરણાગતિ સ્વીકારવા માટે અણુ બોમ્બનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું.

error: Content is protected !!