
2.jpg?w=1110&ssl=1)
વિસાવદરના ભાજપના ઉમેદવાર કિરિટ પટેલે એક જાહેરસભામાં ચોંકાવનારું નિવેદન કર્યુ છે. આ નિવેદનને કારણે સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. કિરિટ પટેલ ભેંસાણમાં એક જાહેરસભામાં પહોંચ્યા હતા જ્યાં તેમણે મંચ પરથી કહ્યુ કે, મારે તો માત્ર 800 દિવસ માટે ધારાસભ્ય બનવું છે, મને મંત્રી બનવામાં રસ નથી, પરંતુ મારા મોટા ભાઇ સમાન જયેશ રાદડીયા ગુજરાત સરકારમાં મંત્રી બને એવું જોવા હું ઇચ્છુ છું. તેમણે કહ્યું કે, 400 કરોડના શીશમહેલમાં રહેનારા મુખ્યમંત્રીને પસંદ કરશો કે 400 દીકરીઓને કન્યાદાન કરનાર જયેશ રાદડીયાને પસંદ કરશો?
કિરિટ પટેલના નિવેદન પરથી એ વાત લાગી રહી છે કે, તેઓ જયેશ રાદડીયાના માણસ છે અને રાદડીયાના પ્રેસરથી ટિકીટ મળી હશે. બીજું કે કિરિટ પટેલના માધ્યમથી રાદડીયા મંત્રી બનવા માટે પ્રેસર ઉભુ કરવાનો દાવ રમી રહ્યા હોય.