

ગુજરાત સરકારે સોમનાથ, અંબાજી અને દ્વારકાના સર્કીટ હાઉસને ફાઇવ સ્ટાર હોટલમા પરિવર્તિત કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ યાત્રા ધામ ઉપરાંત અમદાવાદ સહિતની 7 મહાનગરોમાં પણ સરકાર સર્કીટ હાઉસની સેવાઓ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) હેઠળ ખાનગીકરણ કરશે.
આને કારણે સરકીટ હાઉસમાં નેતાઓ અને અધિકારીઓને જ નહી પણ સામાન્ય માણસોને પણ રોકાવાની સુવિધા મળશે. જો કે, સામાન્ય પ્રજા પાસેથી પ્રિમિયમ ચાર્જ વસુલ કરશે. સામાન્ય લોકો માટે ભાડું નક્કી કરવામાં આવ્યું નથી, પરતું નોમીનલ ભાડું હશે એવું જાણવા મળ્યું છે.
અમદવાદ, સુરત, રાજકોટ, વડોદરા,ગાંધીનગર, જામનગર, જુનાગઢના સર્કિટ હાઉસને પણ ફાઇવ સ્ટાર હોટલમાં કન્વર્ટ કરાશે. 3 વર્ષ માટે ખાનગી વ્યક્તિને સોંપાશે જ્યારે દ્રારકા, અંબાજી, સોમનાથના સર્કીટ હાઉસને 10 વર્ષ માટે ખાનગી વ્યક્તિને સોંપાશે.