
ભારતના ચૂંટણી પંચે બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા સ્પેશિયલ ઇન્ટેન્સીવ રિવિઝન (SIR)ના પ્રક્રિયા હાથ ધરી અને હવે ગુજરાત સહિત 12 રાજ્યોમાં SIRની પ્રકિયા હાથ ધરવાની જાહેરાત કરી.
દેશભરના વિરોધ પક્ષોએ SIRનો જોરદાર વિરોધ કર્યો છે. વિપક્ષનું માનવું છે કે, આ પ્રક્રિયાથી લાખો મતદારોના નામ કાઢી નાંખવામાં આવશે.
બિહારમાંમ મહાગઠબંધને વિરોધ કરેલો એ પછી દિલ્હીમાં શરદ પવાર NCP, અખિલેશ યાદવ અને કોંગ્રેસે ચૂંટણી પંચની ઓફિસ સુધી રેલી કાઢી હતી. 4 નવેમ્બરે પશ્ચિમ બંગાળમાં TMC નેતા મમતા બેનરજીએ 5 કિ.મી. લાબીં રેલી કાઢી.
આ સિવાય મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે, તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિન, કેરળના મુખ્યમંત્રી બધા વિરોધ કરી રહ્યા છે. હવે ચૂંટણી પંચ શું કરશે એ આગામી દિવસોમાં ખબર પડશે.
