.jpg?w=1110&ssl=1)
કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે જાહેરાત કરતા જણાવ્યું છે કે, તે આગામી 6 જૂને ભારત પરત ફરશે. પરીક્ષાઓમાં થયેલી ગેરરીતિઓ અને છબરડાઓ મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે એક શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન શરૂ કરવા માટે તે ભારત આવી રહ્યો છે.
અભિજીત દીપકે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, હવે સમય આવી ગયો છે કે આપણે બધાએ ભારતના બંધારણના માર્ગે ચાલીને એકસાથે આવવું પડશે અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ માટે શાંતિપૂર્ણ રીતે અવાજ ઉઠાવવો પડશે. જો આપણે બધા સાથે મળીને અવાજ ઉઠાવીશું, તો તેમણે ચોક્કસપણે આપણો અવાજ સાંભળવો જ પડશે.
તેમણે પોતાના સમર્થકોને આગામી શનિવારે મોટી સંખ્યામાં એકઠા થવા વિનંતી કરી છે. દીપકેએ જણાવ્યું કે, મેં નક્કી કર્યું છે કે હું 6 જૂન, શનિવારની સવારે દિલ્હી પહોંચીશ. કૃપા કરીને તમે બધા મારી સાથે એરપોર્ટ પર જોડાઓ. ત્યાંથી આપણે બધા સાથે મળીને પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન જઈશું અને જંતર-મંતર ખાતે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન (ધરણા) યોજવા માટેની સત્તાવાર મંજૂરી માંગીશું.
એક વીડિયો સંદેશમાં દીપકેએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, પરીક્ષાઓને લગતા વિવાદો અને વારંવાર થતા વિક્ષેપોને કારણે વિદ્યાર્થીઓ ભારે ચિંતા અને માનસિક તણાવમાં મુકાયા છે. આ પરિસ્થિતિ બદલ તેમણે સરકાર પાસે જવાબદારી અને એકાઉન્ટેબિલિટીની માંગ કરી છે.
સરકારી યોજના માહિતી

હવે જોવાનું એ રહેશે કે 6 જૂને તેમના ભારત આગમન બાદ દિલ્હીમાં આ વિરોધ પ્રદર્શન કેવું સ્વરૂપ ધારણ કરે છે.