fbpx

પ્રાંતિજમાં ભાજપ મહિલા મોરચા દ્વારા ‘મન કી બાત’ના ૧૩૫મા એપિસોડનું સામૂહિક શ્રવણ

Spread the love

પ્રાંતિજમાં ભાજપ મહિલા મોરચા દ્વારા ‘મન કી બાત’ના ૧૩૫મા એપિસોડનું સામૂહિક શ્રવણ

  • મહિલા મોરચા ના મહામંત્રી રિદ્ધિબેન ના ધરે કાર્યક્રમ નિહાળ્યો
  • મહિલા મોરચા ની બહેનો સહિત ની બહેનો ઉપસ્થિત રહી


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ શહેરના ખોડીયાર કુવા વિસ્તારમાં આવેલ ભાજપ મહિલા મોરચાના મહામંત્રી શ્રીમતી રિદ્ધિબેન નિરવભાઈ ભટ્ટના નિવાસસ્થાને આજે વડાપ્રધાનના ‘મન કી બાત’ કાર્યક્રમના ૧૩૫મા એપિસોડનું સામૂહિક શ્રવણ કરવામાં આવ્યું


આ પ્રસંગે ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ સંગીતાબેન, કોષાધ્યક્ષ નિરુબેન, મંત્રી કિષ્ણાબેન, કારોબારી સભ્ય હેતલબેન સહિત વિસ્તારની મહિલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તમામ કાર્યકરોએ કાર્યક્રમ ધ્યાનપૂર્વક નિહાળી વડાપ્રધાન દ્વારા રજૂ કરાયેલા વિવિધ સામાજિક, રાષ્ટ્રહિત અને જનજાગૃતિના વિષયો અંગે માહિતી મેળવી હતી કાર્યક્રમ બાદ ઉપસ્થિત મહિલાઓએ જણાવ્યું હતું કે ‘મન કી બાત’ દ્વારા સમાજમાં થઈ રહેલા સકારાત્મક પ્રયાસો, પ્રેરણાદાયી વ્યક્તિત્વો અને દેશના વિકાસ સાથે જોડાયેલા અનેક વિષયો વિશે જાણવા અને શીખવા મળ્યું, જે દરેક માટે પ્રેરણારૂપ છેઆ કાર્યક્રમમાં મહિલા મોરચાની બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!