પ્રાંતિજ રામદેવ નગર ખાતે જોગણી માતા ના મંદિરે ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
– વણઝારા સમાજ ના લોકો સહિત ધર્મ પ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા
– પાંચ યજમાનોએ ધર્મ લાભ લીધો હતો
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના રામદેવ નગર વણઝારા વાસ ખાતે જોગણી માતાના મંદિર ખાતે ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખુબજ ઉત્સાહ પૂર્વક યોજાયો
પ્રાંતિજ નેશનલ હાઇવે ૪૮ પાસે આવેલ રામદેવ નગર વણઝારા વાસ ખાતે શ્રી જોગણી માતાના મંદિર ખાતે ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જેમા વણઝારા સમાજ ના ભાઇ-બહેનો સહિત ધર્મપ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો વણઝારા સમાજ ના પાંચ યજમાનોએ યજ્ઞમા સહ પરિવાર સાથે લાભ લીધો હતો તો આચાર્ય પ્રકાશભાઇ શાસ્ત્રી દ્રારા શાસ્ત્રોક્ત વિધિ થી મંત્રોચ્ચાર કરતા સમગ્ર વાતાવરણ ભક્તિ મંય બની ગયુ હતુ તો સમાજ ના લોકો સહિત આજુબાજુમા રહેતા ધર્મ પ્રેમી લોકો ઉપસ્થિત રહીને દર્શન , હવન સહિત પ્રસાદ નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી
જીલ રાવલ ZSTV પ્રાંતિજ.