પ્રાંતિજ ના વિજ કર્મીને વિજ કરંટ લાગતા સારવાર અર્થે ખસેડવામા આવ્યા
– હિંમતનગર બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે ખસેડવામા આવ્યા
– આમોદરા ખાતે મેન્ટેનન્સ મા ગયા હતા તે દરમ્યાન વિજ કરંટ લાગ્યો
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના વિજકર્મી ને વિજ કરંટ લાગતા તેવોને સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા
પ્રાંતિજ વિજકંપની મા ટી.એમ.એસ તરીકે ફરજ બજાવતા વીજ કર્મચારી મુકેશભાઈ લક્ષ્મણભાઈ નાડીયા ઉ.વર્ષ અંદાજે-૪૫ કે જેવો વિજ કંપની મા છેલ્લા ૧૫ વર્ષ થી ફરજ બજાવે છે અને તેવો સલાલ સબડીવીજન મા આવેલ આમોદરા ખાતે આવેલ ઇન્સ્ટ્રીલ ફીલ્ડ માં મેન્ટેનન્સ ના કામ માટે ગયા હતા જયા તેવોને વિજ કરંટ લાગતા તેવોને તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામા આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે તેવોને અમદાવાદ ખાતે આવેલ એપોલો હોસ્પિટલ ખાતે લઇ જવામા આવ્યા છે
જીલ રાવલ ZSTV પ્રાંતિજ.